રાજકોટ
News of Friday, 5th July 2019

શાપરમાં ઉલ્ટી થયા બાદ ૭ વર્ષના શ્યામનું મોત

વડુકર (પ્રજાપતિ) પરિવારમાં લાડકવાયાના મોતથી અરેરાટી

રાજકોટ તા. ૫: શાપર વેરાવળમાં શિતળા માતાજીના મંદિર પાસે રહેતાં પ્રજાપતિ પરિવારના સાત વર્ષના લાડકવાયાનું ઉલ્ટી થયા બાદ મોત નિપજ્યું છે.ભરતભાઇ પરષોત્તમભાઇ વડુકર (સોરઠીયા પ્રજાપતિ) નામના રિક્ષાચાલકના દિકરા શ્યામ (ઉ.૭)ને રાત્રીના અચાનક ઉલ્ટીઓ થવા માંડતા બેભાન થઇ જતાં  ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વહેલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે શાપર પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર શ્યામ એક બહેનથી નાનો હતો અને ધોરણ-૧માં ભણતો હતો. લાડકવાયાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:44 am IST)