રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જસદણમાં પ્રબુધ્ધ સંમેલન સંપન્ન
રાજકોટઃ જીલ્લા ભાજપ દ્વારા જસદણ ખાતે આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન ડો.ભરત કાનાબાર અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં ડો.કાનાબારએ જણાવ્યું હતું કે, ગત ચાર વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુકાન હેઠળ કેન્દ્રમાં ભાજપા-એનડીએ સરકાર દ્વારા લેવાયેલા અગત્યના કાર્યો, નિર્ણયો અંગે રસપ્રદ માહિતી સભર સમીક્ષા કરી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષશ્રી જશુમતીબેન કોરાટ તથા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયાએ સરકારની શિધ્ધીઓ વર્ણવી હતી.
આ સંમેલનમાં જીલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતા, ભરતભાઇ બોઘરા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા જીલ્લા ઉપપ્રમુખશ્રીઓ ભુપતભાઇ ડાભી, મનસુખભાઇ રામાણી, નીતિનભાઇ ઢાંકેચા, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સોજીત્રા, જીલ્લા અનુ.જાતિ પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ, જસદણ નગરપાલિકા પ્રમુખશ્રી જીગ્નેશભાઇ હીરપરા, જસદણ શહેર પ્રમુખ ધીરૂભાઇ ભાયાણી, જસદણ તાલુકા પ્રમુખ વલ્લભભાઇ રામાણી, વિછીયા તાલુકા પ્રમુખ નાથાભાઇ વાસાણી, જીલ્લાના હોદેદારો, જસદણ તાલુકા પ્રમુખ વલ્લભભાઇ રામાણી, વિછીયા તાલુકા પ્રમુખ નાથાભાઇ વાસાણી, જીલ્લાના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા લીગલ સેલ જીલ્લા ડોકટર સેલ, જીલ્લા શિક્ષણ સેલ, જીલ્લા હ્યુમનરાઇટ સેલ, જલ્લા બૌદ્ધિક સેલ, જીલ્લા પ્રશિક્ષણ સેલના આગેવાનો, જસદણ તાલુકા તથા શહેર તથા વિછીયા તાલુકા આગેવાનો તથા કાર્યકર્તાઓ જસદણ નગરપાલિકાના પદાધિકારીઓ, તેમજ નિવૃત કર્મચારીઓ, ડોકટરો, ચાર્ટર્ડએકાઉન્ટ, પ્રોફેસરો સહીતના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનમાં પૂજ્ય મોરારિદાસબાપુ, રમેશભાઇ ઓઝા તેમજ નામી સંતો-મહંતોના મંતવ્યોની ડોકયુમેન્ટરી ફિલ્મ તેમજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મદીની ચાર વર્ષની સિદ્ધિઓ તથા કરેલા વિકાસલક્ષી ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. સંમેલનનું સંચાલન બૌદ્ધિકસેલના પ્રમુખશ્રી રાજુભાઇ ધારૈયા તથા જીલ્લા યુવા મોરચા ઉપપ્રમુખશ્રી હિરેનભાઇ જોશીએ કર્યુ હતું.(૩.૧૭)