રાજકોટ
News of Tuesday, 5th June 2018

જલારામબાપાના છાસના પરબની મુલાકાતેે આગેવાનો

રાજકોટઃ શ્રી જળમુખી મિત્ર મંડળ લોહાણાપરાના પ્રમુખ શ્રી જયસુખ દક્ષિણિની રાહબરી હેઠળ શ્રી જલારામબાપાના છાસના પરબની મુલાકાતે લોહાણા મહાજનના પ્રથમ મહિલા પ્રમુખ શ્રી કાશ્મીરાબેન નથવાણી, પુર્વ મેયરશ્રી  કે.એચ. માવાણી તથા લોહાણા અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઇ તન્નાએ મુલાકાત લીધી હતી. અધિકમાસ દરમિયાન બહેનોને ટોકન દરે ગોમતી સ્નાન કરાવવા શ્રી દ્વારિકાધીશના દર્શનાર્થે લઇ જવાના કાર્યને બિરદાવવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખશ્રી જયસુખભાઇ દક્ષિણી, બાલાભાઇ રાવ, નિતિન સાતા,  સુરેશ પુજારા, ગચ્છાભાઇ, જીતુભાઇ શિંગાળા, જતીન, કાનાભાઇ કેળાવાળા, જનકભાઇ ઉનડકટ, કિશોર સોમૈયા તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (૪૦.૧૦)

 

(3:56 pm IST)