રાજકોટ
News of Tuesday, 5th June 2018

ખાદ્ય નિગમના કર્મચારીઓના પગાર વધારા સહિતના પ્રશ્ને ધરણા

રાજકોટ : ભારતીય ખાદ્ય નિગમ કર્મચારી સંઘ, નવી દિલ્હીના આદેશ અનુસાર કર્મચારીઓની તા.૧-૧-૧૭થી પગાર વધારાની તથા અન્ય માંગણીઓના અનુસંધાને દેશભરમાં આવેલી નિગમની જીલ્લા કચેરી ખાતે ધરણાનું આજરોજ આયોજન કરવામાં આવેલ. તસ્વીરમાં  રાજકોટ જીલ્લા કચેરી ખાતે ધરણા કરી રહેલા ભારતીય ખાદ્ય નિગમ કર્મચારી સંઘના સભાસદો દૃષ્ટિગોચર થાય છે. આ ધરણા કાર્યક્રમમાં ખાદ્ય નિગમના મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૮)

(3:39 pm IST)