સમાજના યુવાનોને ઢંઢોળવા દોડયાત્રા
સ્વામી વિવેકાનંદજીના વિચારોને વરેલા ઝાલાવાડી સઇ સુથાર દરજી જ્ઞાતિના અમદાવાદ નિવાસી યુવાન રૂપેશભાઇ સુરેશભાઇ મકવાણા દ્વારા સમાજના યુવાનોને મોબાઇલ મેનીયામાંથી બહાર આવવાની શીખ આપવા અને 'સ્વસ્થ વ્યકિત, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ' વિચારોને વહેતા કરવા દોડ યાત્રા શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનમાં આ દોડ પુરી કર્યા બાદ ફેબ્રુઆરીમાં ગુજરાતમાં અમદાવાદ, ચોટીલા થઇ રાજકોટ આવી પહોંચતા સ્થાનિક સંસ્થાના આગેવાનો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયુ હતુ. સમસ્ત ઝાલાવાડી સઇ સુથાર યુવક મંડળના પ્રમુખ કલ્પેશભાઇ ગોહેલ, ઉપપ્રમુખ કિશોરભાઇ મકવાણા, મંત્રી કિશોરભાઇ પરમાર, ખજાનચી મેહુલભાઇ સોલંકી, સહમંત્રી કાળુભાઇ રાઠોડ, કારોબારી સભ્યો આશીષ ધામેચા, જગદીશભાઇ પરમાર, હર્ષદભાઇ ગોહેલ, જતિનભાઇ ગોહેલ, અલ્પેશભાઇ સોલંકી, ઝાલાવાડી દરજી સમાજના પ્રભુદાસભાઇ મકાણી, વિનુભાઇ સોલંકી, નિરંજનભાઇ સોલંકી, ધીરજલાલ ગોહેલ, શાંતિલાલ ચાનપુરા (નશાબંધી શાખા), સુરેશભાઇ કપુરીયા, પી. ડી. મકવાણા, અંજનાબેન પરમાર વગેરેએ ઉપસ્થિત રહી આ યુવાનોની ટીમનું ફુલહાર અને શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરેલ.