રાજકોટ
News of Friday, 5th March 2021

વાંકાનેરના લીંબાળામાં ભરત સિતાપરાએ સળગીને જીવ દીધો

રાજકોટ તા.૫: વાંકાનેર લીંબાળા ગામે રહેતાં ભરતભાઇ લખુભાઇ સિતાપરા (ઉ.વ.૩૫) નામના યુવાને પોતાના ઘરે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતું અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ભરતભાઇ કડીયા કામની મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. ભરતભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:58 pm IST)