News of Friday, 5th March 2021
બિમારીથી કંટાળી રૈયાધારના માધાભાઇ વારદીયાએ ગળાફાંસો ખાધોઃ સારવારમાં
રાજકોટ તા. ૫: રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં માધાભાઇ પુંજાભાઇ વારદીયા (ઉ.વ.૮૫) નામના વૃધ્ધે વહેલી સવારે પાંચેક વાગ્યે ઘરમાં એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેમના પુત્ર જોઇ જતાં તુરત જ નીચે ઉતારી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
માધાભાઇને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. મગજમાં પેરેલિસીસ થયું હોઇ બિમારીથી કંટાળીને આમ કર્યાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી.
(1:57 pm IST)