'હમસફર' ટ્રેઇનનું રાજકોટમાં ઉમળકાભેર સ્વાગત
સૌરાષ્ટ્રને મુંબઇ સાથે જોડતી વધુ એક ટ્રેઇન ફાળવવા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સહીતની સંસ્થાઓએ કરેલ રજુઆતના અનુસંધાને જામનગર બાંદ્રા હમસફર ટ્રેઇન શરૂ થતા ઉમળકાભેર સ્વાગત કરાયુ હતુ. લોકસભ્ય મોહનભાઇ કુંડારીયાના પ્રયાસો સફળ રહેલ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જામનગરથી આ ટ્રેઇનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયા બાદ રાજકોટ આવી પહોંચેલ ત્યારે ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, રેલ્વે સ્ટેશન કન્સલ્ટેટીવ કમીટીના સભ્ય ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, સૌરાષ્ટ્ર પેસેન્જર એસો.ના પ્રમુખ કિરણભાઇ શુકલ, હેમંતભાઇ શુકલ, પ્રદીપભાઇ દેસાઇ, ભરતભાઇ સુરેજા, પ્રફુલભાઇ મહેતા વગેરેએ પણ ઉપસ્થિત રહી પાયલોટ એસ. બી. રાવલ, આસીસ્ટન્ટ ડ્રાઇવર હિતેન વરણ અને ગાર્ડ એન. આર. મીનાનું ફુલહારથી સ્વાગત કરાયુ હતુ. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, ઝેડ આર.યુ.સી.સી. સભ્ય અને ચેમ્બર ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા ઉપસ્થિત રહી ફુલહાર કરેલ.