શ્રી શ્રી રવિશંકર મહારાજ પ્રેરિત
શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટર ખાતે કાલથી વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ
રાજકોટઃ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સાથે જીવન જીવવાની દરેક માનવીનો અધિકાર છે. આજની પરિસ્થિતિમાં શહેરમાં ઝપડથી પ્રસરી રહેલ રોગચાળાને લક્ષમાં રાખી. તા.૬ થી ૯ મંગળવારથી શુક્રવાર, સવારે ૧૦ થી ૧, સાંજે ૬ થી ૯ દરમિયાન શ્રી શ્રી રવિશંકર મહારાજ પ્રેરિત શ્રી શ્રી આયુર્વેદ વેલનેસ સેન્ટર (મંગળા મેઈન રોડ) ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ નિદાન કેમ્પમાં નાડીપરિક્ષણ નિષ્ણાંત ડો.પ્રશાંત ગણાત્રા સેવા આપશે. અત્ર નિદાન ૩ કલાક ખાલી પેટે કરવાનું હોવાથી કેમ્પનો લાભ લેવા ઈચ્છુક વ્યકિતએ મો.૯૮૨૪૭ ૩૨૬૩૮ / ૯૪૨૯૨ ૪૮૪૮૨ ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી રહેશે.
કેમ્પનું સ્થળ : ‘‘શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટર'' આરતી એપાર્ટમેન્ટ, વડલા નીચે, મનહર પ્લોટ- ૯-૯અ વચ્ચે, મંગળા મેઈન રોડ, રાજકોટ