પુરૃષાર્થ યુવક મંડળ દ્વારા રકતદાન કેમ્પ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (બેડીપરા ઝોન) ના સહયોગથી પુરૃષાર્થ યુવક મંડળ દ્વારા તાજેતરમાં રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કર્ણાટકના પૂવ રાજયપાલ વજુભાઇ વાળા, સાંસદો સર્વશ્રી મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુ. કમિશ્નર અમિત અરોરા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, અશોક લુણાગરીયા, જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી કેલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, પૂર્વ ચેરમેન કિરીટભાઇ પાઠક, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ વી. ડી. મહેતા, ડો. ડી. કે. વાડોદરીયા, પુષ્કરભાઇ રાવલ, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, કોર્પોરેટરો અને સર્વ સમાજના અગ્રણીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહી રકતદાતાઓનો જુસ્સો વધાર્યો હતો. આ કેમ્પ સ્વ. બેચરભા પાંચાભા પરમાર, સ્વ. ગાંગજીભાઇ નંદા (ભાનુશાળી), સ્વ. બાબુભાઇ રૈયાભાઇ સોલંકી, સ્વ. ગીરધારીભાઇ શામજીભાઇ ગોહેલ, સ્વ. જેન્તીભાઇ હંસરાજભાઇ રૃપાપરા, સ્વ. ગોકળભાઇ સોમાભાઇ સીતાપરાની સ્મૃતિમાં યોજવામાં આવ્યો હતો. સમગ્ર રકતદાન કેમ્પની સફળતા માટે પુરૃષાર્થ યુવક મંડળના પ્રમુખ અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (બેડીપરા ઝોન) ના પરીમલભાઇ પરડવાના માર્ગદર્શન હેઠળ બન્ને સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.