અસમાજિક તત્વોને દંડા અને કાતિલ ઠંડીથી ફૂટપાથ પર ઠંડીમા ઠુઠવતા લોકોને ધાબળા ઓઢાડયા
સ્વામિનારાયણ ગુરુકુળ રીબડાના સહયોગથી ડીવાયએસપી પ્રતિપાલ સિંહ ઝાલાના નેતૃત્વમાં માનવતાવાદી કાર્યની ઠેર ઠેર પ્રસંશા
રાજકોટ તા.૫, અસામાજિક તત્વો સામે રીતસર ઝુબેંશ ચલાવી રહેલ ગોંડલ શહેર પોલીસ માનવતાવાદી કાર્યમાં પણ અગ્રેસર હોવાની પ્રતીતિ લોકોને થઇ રહી છે.
નવા કાયદાનો ચુસ્ત અમલ કરી લાલ આંખ કરનાર ગોંડલ પોલીસ દ્વારા બીજી આંખમાંથી ગરીબ અને જે લોકો કાતિલ ઠંડીમાં ફૂટપાથ પર સુઈ રહે છે તેવા લોકોને ઠંડીથી બચવવાં માટે સ્વામિનારાયણ ગુરુકુળ રીબડાના સહયોગ દ્વારા આવા જરૂરિયાત મંદ લોકોને ધાબળા ઓઢડી માનવતા લક્ષી થતાં કાર્યોની નોંધ ગોંડલ શહેરના લોકો સાથે ઊંચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ લેવાઇ રહી છે.
જેમના નેતૃત્વમાં માનવતા લક્ષી કાર્યવાહી ચાલી રહી છે તેવા ડીવાયએસપી પ્રતીપાલ સિંહ ઝાલા કહે છે કે આ સમગ્ર કાર્યનો યશ મને નહિ સ્વામિનારાયણ ગુરુકુળ અને ગોંડલ શહેર પોલીસને જાય છે.હું તો ફકત નિમિત્ત્। છું.