રાજકોટ
News of Saturday, 5th January 2019

કાલે કુ.આનલ ત્રિવેદી દ્વારા ભરતનાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ

રાજકોટ, તા. ૫ : તાંડવ નર્તન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલાસીકલ ડાન્સ, રાજકોટની વિદ્યાર્થીની કુ. આનલ ત્રિવેદીનું ભરતનાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ આવતીકાલે તા.૬ના રવિવારે સાંજે ૫ વાગ્યે સવાણી પર્ફોર્મીંગ આટ્ર્સ ખાતે રાખેલ છે.

ઉલ્લેખનીય છે કે કુ. આનલ ત્રિવેદી એમના ગુરૂ શ્રી જીજ્ઞેશ સુરાણી અને કુ. ક્રિષ્ના સુરાણીના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ લીધા બાદ આરંગેત્રમ્ પ્રસ્તુત કરવા જઈ રહી છે. વધુ માહિતી માટે સંપર્ક ૯૪૨૮૦ ૩૬૭૯૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૭.૫)

(3:37 pm IST)