શિતલ પાર્કના રજનીકાંતભાઇ અને લક્ષ્મી સોસાયટીના હિતેષનું બીમારી સબબ મોત
ભગીરથ સોસાયટીના વૃધ્ધ નરેન્દ્રભાઇનું બીમારીના કારણે મોત
રાજકોટ તા. ૪ : બજરંગ વાડી શિતલ પાર્કના પ્રૌઢ તથા નાનામવા રોડ લક્ષ્મી સોસાયટીના યુવાનનું તથા ભગીરથ સોસાયટીના વૃધ્ધનું બીમારી સબબ મોત નિપજ્યું છે.
મળતી વિગત મુજબ બજરંગવાડી શિતલ પાર્ક - બી/એ-૯૨માં રહેતા રજનીકાંતભાઇ મોહનલાલ ભટ્ટ (ઉ.વ.૫૩) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા બનાવમાં નાનામવા રોડ પર લક્ષ્મી સોસાયટી શેરી નં. ૨માં રહેતા હિતેષ ગોગનભાઇ પટેલ (ઉ.૨૦) ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે કેન્સરની બીમારીના કારણે તે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડયા તથા ઘનશ્યામસિંહએ કાર્યવાહી કરી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં ભગીરથ સોસાયટી શેરી નં. ૧માં રહેતા નરેન્દ્રભાઇ પરસોત્તમભાઇ છાંટબાર (ઉ.વ.૭૬) ગઇકાલ પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે બી-ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.