રાજકોટ
News of Wednesday, 4th December 2019

નરસિંહ મહેતા હારમાળા જયંતિ

રાજકોટ : ગુજરાતી સાહિત્યના આદ્યકવિ શ્રી કૃષ્ણના કૃપાપાત્ર શ્રી નરસિંહ મહેતાના ૫૬૪મી હારમાળા જયંતિએ પ્રતિ વર્ષની જેમ હાટકેશજન રાજકોટ દ્વારા શ્રી રામકૃષ્ણનગર ગાર્ડન સ્થિત શ્રી મહેતાજીની પ્રતિમાને પુષ્પવંદના, વૈષ્ણવજનના સમૂહગાનમાં સાથે હારમાળા જયંતિ મનાવી હતી. જેમાં વિપુલ પોટા, જે.ડી.બક્ષી, જે.ડી.બુચ, રાજીવભાઇ વચ્છરાજાની, બાલેન્દ્રભાઈ મહેતા, હિમાંશુ માંકડ, અશોક પોટા, ગીરીશ મારૂ, અશોક માંકડ, વિરચી બુચ, અક્ષય વસાવડા, કશ્યપ ધોળકીયા, પંકજ મંકોડી, નિખિલ બક્ષી, ઉત્કલ વૈષ્ણવ, સમીર વસાવડા, ઉદય માકડ, મહેશ છાયા, વિનવેશ ધોળકીયા, અપૂર્વ જોષીપુરા, તુષાર પોટા, તુલન વૈષ્ણવ, જયેશ દેસાઈ, રાજેશ્વરીબેન વછરાજાની, શ્રદ્ધાબેન છાયા, ભકિતબેન દેસાઈ, પારૂલબેન ઠેબા, જાગૃતિબેન મારૂ, અભય અંજારીયા, રાહુલ મહેતા, કેયુર અંજારીયા, વિનય બુચ, હાજર રહેલ હતા.

(11:43 am IST)