જૈનમ રાસોત્સવમાં આજે રાત્રે સારે ગામા પા ફેઈમ મહર્ષિ પંડયા ધુમ મચાવશે
રાજકોટ,તા.૪: સતત ચોથા વર્ષે ફકત જૈન સમાજનાં ખેલૈયાઓ માટે આયોજીત નવરાત્રી મહોત્સવમાં આજે તા.૪ ના શુક્રવાર છઠ્ઠા નોરતે ખેલૈયાઓને મન મુકી ઝુમવા મજબુર કરાવવા મહર્ષિ પંડયા હાજરી આપશે.
વડોદરાનાં ૨૨ વર્ષથી ગુજુ બોય બહું ઓછી ઉંમરમાં મહર્ષિ પંડયા ગાયીકી ક્ષેત્રે એક અનોખી ઓળખ ઉભી કરી છે અને યુવા વર્ગની પહેલી પસંદ બની ચુકયા છે. તેઓ સંગીત સફરમાં ઝી ટીવી આયોજીત ૨૦૧૮માં ઝી ટીવી લીટલ ચેમ્પમાં ટોપ ફાયનાલીસ્ટ, રેડીયો મીર્ચી તાનસેન, કલા મહાકુંભ, વીવાયઓ ભજન સમ્રાટ, લીટલ ચેમ્પ ઓફ બરોડામાં વિનર બની સારી એવી લોકચાહના મેળવેલ છે. આ ઉપરાંત રેડીયો સીટી સુપર સીંગર, બીગ એફએમ ગોલ્ડન વોઈસ, સ્વરકલશનાં રનર્સ અપ રહેલ છે. ખાસ કરીને તેઓ રાસ ગરબાની રમઝટ બોલાવવા તેઓ માહીર છે, આ ઉપરાંત ગઝલ, સુફી સોંગ દ્વારા હાજર સૌને તાલીઓ પાડવા મજબુર કરી દે છે.
તસ્વીરમાં જૈન આગેવાનો સર્વશ્રી સુજીતભાઈ ઉદાણી, જીનેશભાઈ મહેતા, નીલેશભાઈ કામદાર, વીરભાઈ ખારા અને મનીષભાઈ દોશી નજરે પડે છે.(તસ્વીરઃ અશોકભાઈ બગથરીયા)