શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતી પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૦૪/૧૦/૨૦૧૯ના રોજ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૨મી જન્મજયંતિ પ્રસંગે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પુર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર પ્રીતિબેન પનારા, મીનાબેન પારેખ, દક્ષાબેન ભેસાણીયા, પૂર્વ કોર્પોરેટર ગેલાભાઈ રબારી, રસિકભાઈ પટેલ, ભાજપ અગ્રણીશ્રીઓ અરવિંદભાઈ ભેસાણીયા, દિલીપભાઈ લુણાગરિયા, મનસુખભાઈ પીપળીયા, પ્રભાતભાઈ કુંગસીયા, દિનેશભાઈ ડાંગર, દિનેશભાઈ જીયાળ, રસિકભાઈ વોરા, રમેશભાઈ અકબરી, સંજયભાઈ ચાવડા, આસિસ્ટન્ટ મેનેજર અમિતભાઈ ચોલેરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ.