રાજકોટ
News of Friday, 4th October 2019

સોરઠીયા રજપૂત સમાજ દ્વારા મંગળવારે શસ્ત્રપૂજન

ગાંધીગ્રામ સોરઠીયા રજપુત સમાજ ભવન ખાતે વિજયા દશમી ઉજવાશે : સાફો બાંધીને આવવા અનુરોધ

રાજકોટ તા. ૪ : પૂ. દેશળભગત, પૂ. સંપૂર્ણાનંદજી બાપુ અને મહામુકતરાજ શ્રી દેવુભગતના આશીર્વાદથી ગાંધીગ્રામ ખાતે આવેલ શ્રી સોરઠીયા રજપૂત સમાજ ભવન ખાતે વિજયા દશમીએ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયુ છે. પ્રમુખ વિજયભાઇ ચૌહાણની આગેવાની હેઠળ સોરઠીયા રજપૂત યુવા શકિતના યુવાનો દ્વારા તા. ૮ ના મંગળવારે ગાંધીગ્રામ, સોરઠીયા રજપૂત ભવન ખાતે  સાંજે ૪ વાગ્યે આયોજીત આ શસ્ત્ર પુજનમાં ભાઇઓએ સાફાની વ્યવસ્થા હોય તેમણે સાફો ધારણ કરીને આવવા અનુરોધ કરાયો છે.'અકિલા' ખાતે સમગ્ર આયોજનની વિગતો વર્ણવતા મુકુંદભાઇ રાઠોડ, વિજયસિંહ ચૌહાણ (એચ.ડી.એફ.સી.), પ્રતાપ ચૌહાણ, દિવ્યેશ પરમાર, અલ્પેશ ગોહિલ, ઉદય પરમાર, નીલેશભાઇ સોલંકી, અભય ચૌહાણ, વિરેન્દ્ર ડાભી, ચિરાગ પરમાર, ભાવિક ભટ્ટી, પૃથ્વીરાજસિંહ ડોડીયા, લખન ચૌહાણ, અજય પરમાર નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:36 pm IST)