રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે યૈશ ઓસો ધ્યાનોત્સવ : અંકનું વિતરણ
રાજકોટ : ઓશોના સૂત્ર 'ઉત્સવ આપાર જીતી આનંદ આમાર ગૌત્ર'ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન - કિર્તન, ગીત સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર ઉજવવામાં આવે છે.
આગામી તા.૬ને રવિવારના રોજ સાંજે ૬:૩૦ થી ૮ દરમિયાન યૈશ ઓશો ધ્યાનોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ દરમિયાન યૈશ ઓશો મેગેઝીન જે પુનાથી સ્વામી સંજય ભારતી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તેના ૧૧માં વર્ષમાં પ્રવેશ નિમિતે યૈશ ઓશોના ઓકટોબર અંકનંુ વિતરણ, સંધ્યા ધ્યાન તથા પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
અત્રે એ જણાવવુ જરૂરી કે યૈશ ઓશો મેગેઝીનના મુદૂક, પ્રકાશક તથા સંપાદક સ્વામી સંજય ભારતી સાથે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્ય પ્રકાશ સાથે ૨૫ વર્ષો કરતા પણ વધારે જૂનો ગહન આત્મીય સંબંધ ધરાવે છે. ૨૦૧૧માં તેઓ રાજકોટમાં પાંચ દિવસ માટે ઓશો ધ્યાન શિબિર, મેડીટેશન વર્કશોપ તથા આત્મીય કોલેજમાં તેઓનો સેમીનાર રાખવામાં આવેલ તથા વિવિધ સંસ્થાઓમાં તેઓના વર્કશોપનું આયોજન કરેલ. ટાઈમ અભાવે તથા તેમના શેડ્યુલમાં વ્યસ્તતાને કારણે તેઓ નથી આવી શકયા, પરંતુ ડીસેમ્બરમાં તેઓએ આવવાનુ કરેલ છે અને ટેલીફોનિક વાતચીતથી તેઓ રાજકોટ તથા બહારગામના ઓશો સન્યાસી તથા પ્રેમીઓને યૈશ ઓશોને બિરદાવવા બદલ આભાર વ્યકત કરેલ.
ઉપરોકત યૈશ ઓશો ધ્યાનોત્સવમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઈનર સર્કલે અનુરોધ કરેલ છે.
સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, ડીમાર્ટની પાછળની શેરી, રાજકોટ.
વિશેષ માહિતી : સ્વામી સત્ય પ્રકાશ - ૯૪૨૭૨ ૫૪૨૭૨, સંજીવ રાઠોડ - મો.૯૮૨૪૮ ૮૬૦૭૦.