રાજકોટ
News of Friday, 4th June 2021

ચક્ષુદાન પ્રવૃતિથી મેયર પ્રભાવિત

વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત ચક્ષુદાન જનજાગૃતિ પ્રચાર-પ્રસાર સમિતિના માર્ગદર્શક મુકેશભાઇ દોશી, અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી સહિતની સમગ્ર ટીમે શહેરના યુવા મેયર પ્રદીપભાઇ ડવની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઇને સંસ્થા દ્વારા દૃષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ મળી રહે તે માટે થઇ રહેલી ચક્ષુદાન પ્રવૃતિની માહિતી આપી હતી. મેયરે ચક્ષુદાન જનજાગૃતિ માટેના સંસ્થા દ્વારા થઇ રહેલા સક્રિય પ્રયાસોને બીરદાવી ચક્ષુદાન પ્રવૃતિમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મેયરશ્રી સાથેની શુભેચ્છા મુલાકાત વેળાએ સંસ્થાના સેવાભાવી સદસ્યો સુનિલ વોરા, નલિન તન્ના, અશ્વીનભાઇ પટેલ, પ્રવિણભાઇ હાપલીયા, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, જયેન્દ્રભાઇ મહેતા, મહેશભાઇ જીવરાજાની, ચેતનભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)