રાજકોટ
News of Monday, 4th June 2018

વીવાયઓ અને રાણપરારત્ન પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને રાહતદરે ફુલસ્કેપ ચોપડા વિતરણ

રાજકોટ, તા. ૪ : યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ૧૦૮ શ્રી વૃજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા સંસ્થાપિત વીવાયઓ (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન)ના સહયોગથી રાણપરા રત્ન પરિવાર દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા (ફુલસ્કેપ) (રૂ.૧૫ અને ૩૦ લેખે)નું વિતરણ કરવામાં આવશે. જેના સ્થળ આ મુજબ છે. (૧) પેલેસ રોડ આઈસીઆઈસીઆઈ બેંક સામે વાડીલાલ મોહનલાલ દુકાને (કાર્યાલય) (૨) ભદ્રકાલી જવેલર્સ, હુડકો કવાર્ટસ, આશાપુરા રોઙ

આ કાર્યમાં વીવાયઓ પ્રમુખ મહેન્દ્રભાઈ ફળદુ, વાઈસ પ્રેસીડેન્ટ જીતેનભાઈ સોની, અશ્વિનભાઈ રાણપરા, વજુભાઈ પીઠડીયા, નિલેશભાઈ સિંધવા, જીતુભાઈ સિંધવ, તેમજ પ્રવિણભાઈ ફીચડીયા, કાંતિભાઈ જોબનપુત્રા, ધીરૂભાઈ રાઠોડ, રાજુભાઈ રાણપરા, ટીનાભાઈ રાણપરા, અભિષેક રાણપરા, અવંતીલાલ રાણપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે જીતેન સોની ૯૮૨૪૩ ૨૯૨૪૨પ અશ્વિનભાઈ રાણપરા ૯૭૨૩૦ ૩૩૧૯૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૨)

(3:50 pm IST)