રાજકોટ
News of Monday, 4th June 2018

જાગૃતિ શ્રમમજીવી તથા એવિએશન સોસાયટીમાં ડામર રીકાર્પેટ કામનો પ્રારંભ ખાતમુહુર્ત ઙ્ગ

 રાજકોટઃ રાજકોટના વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટરઓ દ્વારા જુદા-જુદા વિકાસના લોક ઉપયોગીકામો મંજુર કરાવી શરુ કરવામાં આવેલ છે તેવાજ એક ભાગરૂપે જાગૃતિ શ્રમજીવી સોસાયટી તથા એવિએશન સોસાયટીમાં ડામર રીકાર્પેટ વોર્ડ નં.૨માં ડામર રીકાર્પેટ કામનું ખાતમુહુર્ત પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરાયુ. આ વિસ્તારને વધુ સારી રસ્તાની સુવિધા મળી રહેશે.

આ પ્રસંગે વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટરશ્રી સોફીયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ગોહેલ, મહામંત્રીશ્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, પૂર્વ કોર્પોરેટર જસુમતીબેન વસાણી, વોર્ડ અગ્રણીઓશ્રી રાજનભાઈ સિંધવ, ભરતભાઈ વીરડા, વિક્રમસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, નીતિનભાઈ ચૌહાણ, કનુભાઈ ચૌહાણ, પ્રફુલભાઈ બોરીસાગર, યોગરાજસિંહ જાડેજા, દિનેશભાઈ પુજારા, પંકજભાઈ સોરઠીયા, અજયસિંહ જાડેજા, રામજીભાઈ શિયાણી, ગેલાભાઈ રબારી, વજાભાઈ, યુસુફભાઈ, ઇકબાલભાઈ, હરેશભાઈ પરસોડા, ભરતભાઈ કાઠી, હર્ષદભાઈ ડોડીયા, પંકજભાઈ જોષી, કૌશિકભાઈ અઢીયા, સનતભાઈ, ગોપાલભાઈ, સંજયભાઈ, ધીરેન્દ્રસિંહ જાડેજા, મનસુખભાઈ પટેલ, લાખાભાઈ ભરવાડ, રાજુભાઈ, ભાવેશભાઈ પરમાર, દીપાબેન કાચા, દેવ્યાનીબેન રાવળ, નીતાબેન વસાણી, સરોજબેન, કિરણબેન, જસુબા, રશીદાબેન વિગેરે બહોળી સંખ્યામા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૧૧)

(3:48 pm IST)