News of Saturday, 4th April 2020
નવાગામ પાસે આશ્રમમાં બહાર ગામથી આવેલા સાધુ-સંતોએ સ્વૈચ્છીક મેડીકલ ટેસ્ટ કરાવ્યા
આશ્રમના સંચાલકોએ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડને જાણ કરતા તુરતજ મેડીકલ ટીમ મોકલાઇ
રાજકોટઃ વર્તમાન કોરોના સંક્રમણની સ્થીતીમાં હાલમાં બહાર ગામના આવતા લોકોનું મેડીકલ ચેકઅપ પ્રજાહીતમાંં છે ત્યારે શહેરની ભાગોળે આવેલ નવાગામ વિસ્તારના આશ્રમમાં બહાર ગામથી આવેલા સાધુ-સંતોએ સ્વૈચ્છાએ તેઓનું મેડીકલ ચેકઅપ કરાવ્યુ હતું તે વખતની તસ્વીરો નોંધનિય છે કે આશ્રમના સંચાલકોએ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડને આશ્રમમાં બહાર ગામથી આવેલા સાધુ-સંતોના મેડીકલ ચેકઅપ કરાવી આપવા વિનંતી કરેલ. આથી શ્રી કાનગડે આશ્રમ ખાતે મેડીકલ ટીમ મોકલી અને ચેકઅપ ત્થા જરૂર હોય તેને સારવાર વગેરેની વ્યવસ્થા કરાવેલ હતી.
(3:58 pm IST)