રાજકોટ
News of Thursday, 4th March 2021

વિશ્વ હિન્દુ પરિષદના ૮૬ વર્ષના વડીલ અગ્રણી પ્રવિણભાઈ કારીયાએ વેકસીન લીધી

સૌને ભય વિના રસી મૂકાવી લેવા અપીલ

રાજકોટ : રાજય સરકાર દ્વારા કોરોના વેકસીન લેવાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ૪૫ વર્ષથી ઉપરના અને ૬૦ વર્ષથી વધુ વયના લોકો કોરોના વેકસીનનો લાભ લઈ રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અને ૮૬ વર્ષના વડીલ એવા શ્રી પ્રવિણભાઈ કારીયાએ આજરોજ સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓએ અન્યને પણ આ વેકસીનની રસી મૂકાવવા અનુરોધ કર્યો હતો. તેઓએ જણાવેલ કે સરકારશ્રી દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે આપણી પણ ફરજ છે કે વેકસીનની રસીનો લાભ અચૂક લેવો જોઈએ. તેઓએ જણાવેલ કે આ વેકસીન લીધા બાદ મને કોઈપણ જાતની આડઅસર નથી. તસ્વીરમાં શ્રી પ્રવિણભાઈ કારીયા (મો.૯૯૨૪૨ ૧૦૮૩૫) વેકસીનની રસી લઈ રહેલા નજરે પડે છે.

(4:35 pm IST)