News of Thursday, 4th March 2021
રાજકોટ જિલ્લામાં ૩૧૨ વેપારી એકમો સામે તોલમાપ કાર્યવાહી
(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૪: રાજકોટ જિલ્લામાં વ્યાપારી એકમો સામે કરવામાં આવેલ કાર્યવાહી અંગેના પ્રશ્નના ઉત્તરમાં નાગરિક પૂરવઠા મંત્રીએ જણાવ્યુ હતુ કે તા.૩૧-૧૨-૨૦ની સ્થિતિએ ૩૧૨ વ્યાપારી એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આમાં તોલમાપના વ્યાપારી એકમો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છ.આ કાર્યવાહી બાદ કસુરવારો સામે ગુજરાત કાનુની માપ વિજ્ઞાન નિયમો - ૨૦૧૧ના નિયમ - ૧૪ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરી નિયમ ૨૪ અંતર્ગત રૂ.૧,૨૦,૦૫૦/ ગુન્હા માંડવાળ ફી પેટે વસુલ કરવામાં આવેલ છે.
(3:58 pm IST)