રાજયમાં ઈમાનદાર પાર્ટીનું આગમન, હવે રાજનીતિ બદલાશેઃ રાજભા ઝાલા
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના વિજેતા થયેલા ઉમેદવારોને વધાવવા માટે રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા હર્ષભેર વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કાર્યકર્તા અને આગેવાનોએ ફટાકડા ફોડી બાદમાં એક બીજાના મીઠા મોઢા કરાવી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, આજના પરિણામોથી ગુજરાતમાં ઈમાનદાર રાજનીતિને મતદારોએ સ્વીકારી છે અને હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીની વિજય યાત્રા પૂરપાટ વેગે દોડશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ઉપરોકત પ્રસંગે શહેર ઉપાધ્યક્ષ શિવલાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના પરિણામ તો હજુ ટ્રેલર છે. પિકચર હજી બાકી છે, જે આગામી વિધાનસભામાં દેખાશે.
કાર્યક્રમમાં શહેર મહામંત્રી દિવ્યકાંતભાઈ ઈન્દુભા રાઓલ, આગેવાનો દિલીપસિંહ વાઘેલા, પરેશભાઈ શિંગાળા, ચેતનભાઈ કમાણી, રાજેશભાઈ પાનસુરિયા, રાકેશ સોરઠિયા, નિમેષ ભંડેરી, સંજયસિંહ વાઘેલા, ભાવેશભાઈ પટેલ, કેશવજીભાઈ પરમાર, અનિરૂદ્ધસિંહ જાડેજા, મહિલા અગ્રણી જાગૃતિબેન પરમાર વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા.