રાજકોટ સી.એ. બ્રાન્ચના નવા હોદેદારોની વરણી : હાર્દીક વ્યાસ ચેરમેન
રાજકોટ : તાજેતરમાં સી.એ. બ્રાન્ચ રાજકોટના નવા હોદેદારોની વરણી કરવામાં આવતા સી.એ. વિનય સાકરીયાના સ્થાને નવા ચેરમેન તરીકે સી.એ. હાર્દીક વ્યાસની વરણી કરવામાં આવી હતી. હાર્દીકભાઇ ગત વર્ષે વીકાસાના ચેરમેન તરીકે પણ રહી ચુકયા હોય નેતૃત્વનો બહોળો અનુભવ ધરાવે છે. પદગ્રહણ સમારોહમાં ઉદ્દબોધન કરતા તેઓએ જણાવેલ કે સીએ તથા સીએના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા સેમીનાર અને કોન્ફરન્સના આયોજન ટુંક સમયમાં કરાશે. પદવીદાન સમારોહમાં સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ અનિકેત તલાટી, રીજનલ કાઉન્સીલ મેમ્બર સીએ હિતેશ પોમલ, સીએ વિકાસ જૈન ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત નવા હોદેદારોમાં સીએ જીજ્ઞેશ રાઠોડ વાઇસ ચેરમેન, સીએ ભાવિન દોશી સેક્રેટરી અન વિકાસનાના ચેરમેન, સીએ સંજય લખાણી ટ્રેઝરર તરીકે, સીએ વિનય સાકરીયા ઇમિ.પાસ્ટ ચેરમેન, સીએ ભાવિન મહેતા અને સીએ દિપ્તી સવજાણી મેમ્બર તરીકે નિયુકત થયા હતા. નવી ટીમને ચોમેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે. તેમ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીયા રાજકોટ બ્રાન્ચની યાદીમાં જણાવાયુ છે.