News of Thursday, 4th March 2021
તમારે રૂદ્રાક્ષની માળા ન પહેરાય તેમ કહી થાનગઢમાં પ્રતિકને ત્રણ શખ્સે માર માર્યો
રાજકોટ તા. ૪: થાનગઢમાં આંબેડકરનગર નવાવાસમાં રહેતાં પ્રતિક છનાભાઇ પરમાર (ઉ.વ.૨૪)ને તે રાતે સાડા દસેક વાગ્યે ગામના આઝાદ ચોકમાં ડિલકસ પાન પાસે ચા પીવા ઉભો હતો ત્યારે ત્રણેક શખ્સોએ પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાના પર જયદિપસિંહ, ભાગ્યરાજસિંહ અને કુલદિપસિંહે હુમલો કર્યાનો આક્ષેપ કરતાં આ મુજબની એન્ટ્રી થાન પોલીસને નોંધાવાઇ હતી. પ્રતિકે હોસ્પિટલના બિછાનેથી આક્ષેપ કર્યો હતો કે પોતાના ગળામાં રૂદ્રાક્ષની માળા હોઇ આ શખ્સોએ તમારાથી આવી માળા ન પહેરાય તેમ કહી ઝઘડો કરી મારકુટ કરી લીધી હતી. માળા પણ તૂટી ગઇ હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(2:53 pm IST)