સત્ય સાંઇ હોસ્પિટલ સાથે સંકળાયેલ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો
રાજકોટ,તા. ૪: ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદીએ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાસીન્દ્રા ખાતે આજે કોવિડ વેકસીન નો પહેલો ડોઝ લીધો હતો.
ગુજરાત હાઈકોર્ટ ના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ સાથે છેલ્લાં ૨૦ વર્ષ થી સંકળાયેલા છે.
તેમને જણાવ્યું હતું કે 'આ હોસ્પિટલ દ્વારા અવિરતપણે ચાલતા નિઃસ્વાર્થ અને અનોખા સેવાયજ્ઞનો હું ૨૦ વર્ષથી સાક્ષી છું. કોઈ પણ સેવાકાર્ય સાતત્યપૂર્ણ સમર્પણ વિના અશકય છે.એટલે આ અનોખા સેવાયજ્ઞને સતત બિરદાવવાનું મન થાય છે'
'દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૧ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. હવે અમદાવાદના આંગણે સેવાની આ સરવાણી ભૂલકાં માટે પણ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ કાશિદ્રા વહાવી રહ્યું છે.
બાળકોના હૃદયરોગની સારવાર વિનામૂલ્યે કરતી આ હોસ્પિટલ દ્વારા તેની સ્થાપનાના એક વર્ષમાં ૧૬૦૦ જેટલાં બાળ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.