રાજકોટ
News of Monday, 4th March 2019

પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા શહીદોના પરિવાર માટે ૩.૫૫ લાખનો ચેક અર્પણ

રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષણ મંડળના પ્રમુખ દિનેશભાઈ સેદાંદેયા, મંડળના હોદેદારો તથા તમામ શિક્ષકો દ્વારા આ તકે પુલવામા શહીદોને શ્રધ્ધાંજલી અર્પી શહીદોના ફાળામાં ૩.૫૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સર્વ મહેમાનો દ્વારા શિક્ષક મંડળના પ્રેરણાદાયી કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકા બહેનોના પ્રાચીન રાસ અને કૃતિ કલા મહાકુંભમાં  જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવતા રાસમાં વિજેતા શિક્ષિકા બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.

(3:17 pm IST)