News of Saturday, 4th February 2023
આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નિદાન કેમ્પ :
ઇન્ડિયન ઇન્સ્ટિયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ ઇશ્વરીયા દ્વારા તાજેતરમાં મેટોડા અને ખીરસરાની પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. બાળકોમાં શરદી, ખાસી, એનીમીયા, કરમિયા અને દાંતની તપાસ કરી જરૂર હોય તેઓને આયુર્વેદ ઔષધિ આપવામાં આવી હતી. સાથો સાથ પર્સનલ હાઇજીન જાળવી રાખવા આહાર અને વિટામીન અંગેનું જ્ઞાન પીરસાયુ હતુ. બન્ને કેમ્પમાં આયુર્વેદ કોલેજના સ્ટાફે સેવા આપી હતી. (૧૬.૨)
(2:06 pm IST)