રાજકોટ
News of Monday, 4th February 2019

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડની તબીયત નાદુરસ્ત હોસ્પીટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૪  :. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડની તબીયત નાદુરસ્ત થતાં તેઓને ડો. અમિત હાપાણીની પ્રગતિ હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે. તેઓને બે દિવસ અગાઉ ટાઢ અને તાવ આવતાં હોસ્પીટલમાં દાખલ થવુ પડેલ જયાં તેઓને વાઇરલ ઇન્ફેકશન થયાનું નિદાન થતાં ઘનિષ્ઠ સારવાર શરૂ કરાઇ છે. તબીયત સુધારામાં છે. અને તેઓ એક - બે દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ જશે. તેમ તેમની નજીકનાં વર્તુળોએ જણાવ્યું હતું. ઉદયભાઇની તબીયત અંગેનાં સમાચાર મળતા જ ભાજપનાં અગ્રણી રમેશભાઇ રૂપાપરા ત્થા શહેર પ્રમુખ કમલેશ મીરાણી વગેરે હોસ્પીટલે દોડી ગયા હતા અને તેઓનાં ખબર અંતર પુછયા હતાં.  નોંધનીયછે કે ઉદયભાઇની નાદુરસ્ત તબીયતને કારણે હાલ તુરંત સ્ટેન્ડીંગ કમીટીમાં બજેટનો અભ્યાસ અટકી ગયો છે.

(3:37 pm IST)