સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ત્રણ મોત
ઉપલેટાના જ્યોતિબેન પરમાર, ઉનાના સામતભાઇ જાદવ અને રાજકોટ રસુલપરાના હારૂનભાઇ દોઢીયાએ દમ તોડ્યો
રાજકોટ તા. ૩: અહિની સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ઉપલેટાના મહિલા તથા ઉનાના યુવાન અને રાજકોટના વૃધ્ધે દમ તોડી દીધો હતો.
ઉપલેટા નવાપરા ચોરા પાસે 'ઉમિયા' ખાતે રહેતાં જ્યોતિબેન યશવંતભાઇ પરમાર (સથવારા) (ઉ.૪૫) ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બીજા બનાવમાં ઉનાના આમોદરા ગામે રહેતાં સામતભાઇ માંડણભાઇ જાદવ (ઉ.૪૨) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું. ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ રસુલપરામાં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હારૂનભાઇ આમદભાઇ દોઢીયા (ઉ.૫૯) બિમાર હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. પોતે પાંચ ભાઇમાં નાના હતાં. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધર્મેશભાઇ ડાંગરે જે તે પોલીસ મથકને જાણ કરી હતી. (૧૪.૫)