રાજકોટ
News of Thursday, 4th January 2018

ખાટલે મોટી ખોટઃ પદાધિકારીઓની ચેમ્બરો નજીક અગ્નિશમન સાધનો નથી!!

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા અગ્નિશમન સાધનોનું ચેકીંગ કરી લોકોને નોટીસો આપવામાં આવી રહી છે. ત્યારે ખુદ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મેયર-સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાં પદાધિકારીઓની ચેમ્બરો વિપક્ષી નેતાનાં કાર્યાલય શાસક પક્ષ કાર્યાલય વગેરે સ્થળોએ અગ્નિશમન સાધનો જ નથી. ત્યારે આગ અકસ્માત સર્જાય તો શું થાય ? તેવા ગંભીર સવાલો ખડા થયા છે. નોંધનીય છે કે વર્ષો અગાઉ આજ  સેન્ટ્રલ ઝોન કચેરીમાં અગ્નિકાંડ સર્જાયો હતો છતાં હજુ નિંભર તંત્રની આંખ ઉઘડતી નથી... તસ્વીરમાં પદાધિકારીઓની કચેરીઓ પાસે કયાંય ફાયર એકસ્ટીબ્યુસર કે હોઝ પાઇપ કમ્પેકશન જેવા અગ્નિશમન સાધનો નથી તે સ્પષ્ટ નજરે પડે છે.

(3:41 pm IST)