રાજકોટ
News of Thursday, 4th January 2018

વાલ્મીકી સમાજ ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ

સફાઈ કામદાર જાગૃતિ મંડળના સહયોગથી ન્યુ થોરાળા તથા બાલાજી ગ્રુપ દ્વારા શનિ - રવિ

રાજકોટ, તા. ૪ : શ્રી સફાઈ કામદાર જાગૃતિ મંડળના સહયોગથી ન્યુ થોરાળા તથા બાલાજી ગ્રુપ આયોજીત વાલ્મીકી સમાજ ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું તા.૬ અને ૭ને શનિ-રવિના રોજ રાજકોટ જીમખાના ક્રિકેટ કલબ, શાસ્ત્રી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.

ટુર્નામેન્ટના શનિવારે ઉદ્દઘાટન પ્રસંગે શ્રી બંછાનિધિ પાની - કમિશ્નર (રા. મ્યુ. કો.), ડી. જે. જાડેજા - નાયબ કમિશ્નર (રા. મ્યુ. કો.), અરૂણ મહેશબાબુ - નાયબ કમિશ્નર (રા. મ્યુ. કો.) ઉપસ્થિત રહેશે.

જયારે ટુર્નામેન્ટનો ફાઈનલ તા.૭ને રવિવારના રોજ રમાશે. જેમાં સાંજે ૫:૩૦ કલાકે ઈનામ વિતરણ કરવામાં આવશે. આ તકે શ્રી માંધાતાસિંહજી જાડેજા - રાજવી પરિવાર રાજકોટ, શ્રી બંછાનિધિ પાની - કમિશ્નર (રા. મ્યુ. કો.), શ્રી અનુપમસિંહ ગેહલોત (પોલીસ કમિશ્નર, રાજકોટ) ખાસ હાજર રહેશે.

વાલ્મીકી સમાજની આ ટુર્નામેન્ટમાં સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ પટેલ શ્રી થોરાળા બચુભાઈ વાઘેલા, મનુભાઈ દેવજીભાઈ નરોલા, મુકેશ ભનુભાઈ પરૂબીયા, શીવાભાઈ વિનુભાઈ પરમાર, સંજયભાઈ લાખાભાઈ બારૈયા, કિશોરભાઈ ભીખાભાઈ ટીમાણીયા, અતુલભાઈ ભનુભાઈ ઝાલા, રાજેશ ભનુભાઈ ઝાલા, કાનાભાઈ ચનાભાઈ પરમાર, રાજુભાઈ ભાણજીભાઈ વાઘેલા, પરેશભાઈ નિલેશભાઈ રાઠોડ, પીન્ટુભાઈ મનુભાઈ નારોલા, દશરથ ડાયાભાઈ ચૌહાણ, કિશન ગોપાલભાઈ વાઘેલા, જગદીશ ભીખાભાઈ પરમાર, કૌશિક સોઢા (એડવોકેટ), દિનેશભાઈ મોહનભાઈ પરમાર, વિકી શાંતિભાઈ પરમાર, મુનેશભાઈ વાઘેલા, કપિલભાઈ નારોલા, કાળુભાઈ બચુભાઈ વાઘેલા, અશોકભાઈ ડાયાભાઈ બારૈયા, રાજુભાઈ ચમનભાઈ નારોલા, રાહુલ ઈશ્વરભાઈ બારૈયા, કાળુભાઈ નાથાભાઈ વાઘેલા, ચંદાબેન સંજયભાઈ ઝાલા, જીજાબેન ચનાભાઈ પરમાર, અતુલભાઈ રમેશભાઈ રાઠોડ, મનસુખભાઈ વાઘેલા, અતુલભાઈ ઝાલા, સાગરભાઈ વાઘેલા, રાહુલભાઈ પરમાર જહેમત ઉઠાવી રહેલ છે.

(3:37 pm IST)