લીંબડી - અમદાવાદ હાઇવે ઉપર કાર પલ્ટી જતા ૩ ના મોત : બે દંપતી ખંડીત
રાજકોટ: રાજકોટ - અમદાવાદ હાઇવે ઉપર આજે સાંજે ઇનોવા કારનું ટાયર ફાટતા કાર પલ્ટી જતા ૩ વ્યકિતના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપરના લીંબડી નજીકના ખાનપરના પાટીયા પાસે ઇનોવા કાર પલ્ટી ખાઇ જતા ઘટના સ્થળે ત્રણ વ્યકિતના મોત થયા છે. મૃતકોમાં ર મહિલા અને એક પુરૂષ હોવાનું અકિલા જાણવા મળ્યુ છે. આણંદ પાસીંગની ઇનોવા કાર પલ્ટી જતા આ અકસ્માતમાં મૂળ કચ્છના હાલ હૈદરાબાદ સ્થિત બે દંપતી ખંડીત થયાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં લલીતભાઇ, દિપાલીબેન અને કીર્તીબેન હોવાનું જાણવા અકીલા મળ્યું છે. જયારે ઇજાગ્રસ્તો માં મીનાક્ષીબેન લલીતભાઇ, કીરણભાઇ શાંતીલાલ અને રાજશેખરભાઇને ઇજા થઇ હતી. વધુમાં મળતી વિગત મુજબ મૂળ કચ્છના દેસલપર - નખત્રાણાનો પટેલ પરિવાર છે જે હાલ સિકન્દરાબાદ -હૈદરાબાદ રહે છે. કચ્છ -દેસલપર જતા આ બનાવ બન્યો હતો. રાજશેખર રાધવેન્દ્ર અને કીર્તીબેન રાજશેખર સિન્દરાબાદના છે અને આ પટેલ પરિવારના મિત્ર છે. ઘટના સ્થળે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દોડી ગયેલ છે.