પોૈત્રને રૂમમાં પુરી દઇ ૮૫ વર્ષના વ્હોરા વૃધ્ધા જેહરાબેનનો સળગીને આપઘાત
બેડીપરા સૈફી કોલોની મુબારક એપાર્ટમન્ટમાં બનાવઃ પુત્ર બહારગામ હતો અને પુત્રવધૂ દુકાને હતાં: માનસિક બિમારીથી કંટાળીને પગલું ભર્યુ
રાજકોટ તા.૩: બેડીપરા સૈફી કોલોની મુબારક એપાર્ટમેન્ટમાં ચોથા માળે ફલેટ નં. ૧૯માં રહેતાં જેહરાબેન હાતીમભાઇ માંકડા (ઉ.૮૫) નામના વ્હોરા વૃધ્ધાએ સાંજે અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ધર્મેશભાઇ બારૈયાએ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. હિતુભા એમ. ઝાલા તથા રાઇટર કુલદીપસિંહે ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વૃધ્ધાને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક પુત્ર બહાર ગામ રહે છે. પોતે જેની સાથે રહેતા હતાં એ પુત્ર ગઇકાલે કામ સબબ સુરેન્દ્રનગર ગયા હતાં અને તેમના પુત્રવધૂ નજીકમાં પોતાની કરિયાણાની દૂકાને ગયા હતાં. આ વખતે પોૈત્ર ઘરના બીજા રૂમમાં સુતો હતો તેના રૂમનો દરવાજો બહારથી બંધ કરી પોતે આગળના રૂમમાં સળગી ગયા હતાં. માનસિક બિમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું.