રાજકોટ
News of Wednesday, 3rd January 2018

ભવનાથ સોસાયટીના ૧૨ વર્ષના રોનક તોગડીયાનું બિમારીથી મોત

આ બાળકનો શારીરિક વિકાસ નહોતો થયો

રાજકોટ તા. ૩: હરિ ધવા રોડ પર ભવનાથ સોસાયટી-૧માં રહેતાં મનસુખભાઇ હરિભાઇ તોગડીયા (પટેલ)નો પુત્ર રોનક (ઉ.૧૨) રાત્રે અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

રોનક એક બહેનથી મોટો હતો. નાની બહેન સાત વર્ષની છે. તેના પિતા મનસુખભાઇ ઇમિટેશનનું કામ કરે છે. રોનક એકાદ વર્ષનો હતો ત્યારે આંચકી આવી હતી. ત્યારથી તે બિમાર હતો અને શારીરિક વિકાસ જ નહોતો થયો. આ બિમારીથી મોત થયાનું ખુલ્યું હતું. ભકિતનગરના હેડકોન્સ. જેન્તીભાઇ ગોવાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:39 pm IST)