નરસિંહ મહેતા જયંતિએ હાટકેશજન દ્વારા પુષ્પવંદના
રાજકોટઃ સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતાની ૫૬૭મી હારમાળા જયંતીએ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશજન રાજકોટ દ્વારા રામકૃષ્ણનગર સ્થિત મહેતાજીની કાંસ્ય પ્રતિમાને પુષ્પવંદના કરતા નાગર જ્ઞાતિજનો સર્વશ્રીઅતુલ વૈષ્ણવ, વિપુલ પોટા, અપૂર્વ જોશીપુરા, મુકેશ માંકડ, જગદીશ બુચ, કશ્યપ ધોળકિયા, જ્યેશ વસાવડા, અભય અંજારીયા, સમીર વસાવડા, સતીશ મહેતા વસાવડા, હિમાંશુ માંકડ, દેવાંગ મંકોડી, ઉદય માંકડ, રાજલ મહેતા, મીરાં સૌરભ, રોહિત માંકડ, ધ્વનિ વછરાજાની, દુર્ગેશ વૈષ્ણવ પલ્લવીબેન અંજારીયા, ગીરા મહેતા, કલ્યાણી વછરાજાની, અભય ઢેબર, મયુર અંજારીયા, ઉપેન્દ્ર માંકડ, શિરીષ કચ્છી, અશોક માંકડ, દિગેશ માંકડ નજરે પડે છે. અંતમા મહેતાજીને પ્રિય વૈષ્ણવ જનના સમૂહ ગાન સાથે મહેતાજીની ભાવ વંદના કરવામાં આવેલ. તેમ રાજીવ વછરાજાની, વિપુલ પોટા (સંયોજક હાટકેશજન રાજકોટ) ની યાદીમાં જણાવાયુ છે.