રાજકોટ
News of Friday, 3rd December 2021

કોરોનાં મૃતકોની સહાય માટે મ.ન.પા.નાં સર્ટીની જરૂર નહી હોવા છતાં કલેકટર તંત્ર ખોટો આગ્રહ રાખે છેઃ ડો. દર્શીતા શાહ

રાજકોટ : જે કોરોનાં મૃતકોનો એન્ટીજન ટેસ્ટ અને આર. ટી. પી. સી. આર. ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય ઉપરાંત જે મૃતકોનું કોરોનાથી મૃત્યુ થયુ હોય તેવું હોસ્પીટલનું સર્ટી હોય તેવા મૃતકોનો સહાય માટે મ.ન.પા. ના કોરોના મરણ નોંધનું સર્ટી જરૂરી નહી હોવા છતાં મામલતદારો આવા અરજદારોને વગર કારણે મ.ન.પા.ની કચેરીએ ધકેલી દયે છ.ે જેના કારણે જન્મ-મૃત્યુ નોંધ વિભાગમાં ભીડ એકત્રીત થતી હોઇ ડે.મેયર ડો. દર્શીતાબેન શાહે આજે આ વિભાગની શહેર આજે આ વિભાગની સ્થળ મુલાકાત લઇ અને કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી કોરોના સહાય માટે અરજદારોને મ.ન.પા.ની કચેરીએ મોટા ધકકા ન થાય તેવી વ્યવસ્થા કરાવવા જણાવેલ હતું તે વખતની તસ્વીર. 

(4:27 pm IST)