આઠ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કડક સજા અપાવોઃ એનએસયુઆઇ
રિક્ષા સ્ટેન્ડ અને સીટી બસ સ્ટેન્ડ પાસે સીસીટીવી કેમેરા ફીટ કરવા પોલીસ કમિશનરને રજુઆત
રાજકોટ : ભાવનગર રોડ પર ખુલ્લામાં સુતેલા મજૂર પરિવારની ૮ વર્ષની બાળાને શુક્રવારે રાતે એક શખ્સ બાળા જેમાં સૂતી હતી એ ગોદડામાં જ વીંટાળીને અપહરણ કરી પુલ નીચે લઇ જઇ દુષ્કર્મ આચર્યાના બનાવમાં ક્રાઇમ બ્રાંચ તથા થોરાળા પોલીસે હરદેવ માંગરોળીયા (રહે. ભારતનગર-૮) ની ધરપકડ કરી હતી આ બનાવ મામલે એનએસયુઆઇના પ્રેસીડેન્ટ નરેન્દ્રભાઇ સોલંકી તથા ગુજરાત એનએસયુઆઇના ઉપપ્રમુખ સુરેશભાઇ ડેર, યુથ કોંગ્રેસ મંત્રી હરપાલસિંહ જાડેજા, અમીતભાઇ પટેલ, રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મુકુંદભાઇ ટાંક, રાજકોટ એનએસયુઆઇના પૂર્વ પ્રમુખ મયુરભાઇ વાંક, તથા રવીભાઇ જીતીયા, બોનીભાઇ, દિગ્પાલસિંહ, માધવભાઇ, આશીષભાઇ, હરવિજસિંહ, મીલનભાઇ, દર્શિલભાઇ, ભાવેશભાઇ, મુકેશભાઇ તથા સિદ્ધાર્થભાઇ સહિતના સભ્યોએ શહેર પોલીસ કમિશનરને આરોપીને કડક સજા અપાવવા માટે માંગણી કરી હતી અને શાળા, કોલેજો તથા યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં નાના-મોટા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રીક્ષા અથવા સીટી બસનો ઉપયોગ કરતા હોઇ છે. આથી ભવિષ્યમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રીક્ષા સ્ટેન્ડ અને સીટી બસ સ્ટેન્ડ પાસે સીસી ટીવી કેમેરા મુકી અને પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવે તેવી માંગણી કરી હતી. (તસ્વીર સંદિપ બગથરીયા)