ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલે હેપી દિપાવલી ઉત્સવઃ મંગળવારે નવા વર્ષનું સ્નેહમિલન
રાજકોટઃ અહિંના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલે તા.૪ને ગુરૂવારના રોજ દિવાળી નિમિતે સાંજે ૬:૩૦ થી ૭:૪૫ દરમ્યાન હેપી દિપાવલી ઉત્સવ તેમજ ઓશો કિર્તન, સંધ્યા ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૯ને મંગળવારના રોજ લાભ પાંચમને દિવસે હરસાલની માફક ઓશો સન્યાસી તથા પ્રેમીઓનું સ્નેહ મિલન સાંજના ૬:૩૦ થી ૭:૪૫ દરમ્યાન સ્નેહ મિલન સાથે ઓશો દિપો ભવ તથા સંધ્યા સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરોકત હેપી દિપાવલી તથા નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમી મિત્રોને ઓશો ઈનર સર્કલ દ્વારા નિમંત્રણ અપાયું છે.
સ્થળ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજની બાજુમાં, 'ડી' માર્ટની પાછળ, ૪ વૈદવાડી, રાજકોટ. વિશેષ માહિતી- સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦