રાજકોટ
News of Thursday, 3rd October 2019

મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલ બે આરોપીઓનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા. ૩ :.. રાજકોટના જયુડી. મેજીસ્ટ્રેટશ્રીએ મોબાઇલ ચોરીના કેસમાં રવિ સુરેશ તથા ઇમરાન અનવરને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

બનાવની હકિકત એવી છે કે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ વિદ્યાર્થી બોર્ડીંગમાં પાનેલીયાના સંબંધી બે દિવસ માટે રૂમ ભાડે રાખેલ અને તે દરમ્યાન તેમના મોબાઇલ ચોરાઇ ગયેલ જેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ જેમાં ગાંધીગ્રામ પોલીસે રવિ સુરેશ અને ઇમરાન અનવરને ધરપકડ કરીને ચાર્જશીટ કરેલ હતું.

આ બંને સામે રાજકોટના મેજી. શ્રી ગઢવીની કોર્ટમાં કેસ ચાલી જતા પુરાવાના અભાવે આ બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આરોપીના એડવોકેટ તરીકે નિલેષભાઇ દવે, બહાદુરસિંહ ઝાલા તથા ધર્મિષ્ઠાબા જાડેજા રોકાયેલા હતાં.

(3:30 pm IST)