મવડીના વણીક પ્રૌઢ કૃણાલભાઇ મહેતાએ ઘર નજીક કુવામાં ઝંપલાવી આપઘાત
કણકોટ રોડ '' કોટયાર્ડ બીલ્ડીંગની બાજુમાં બનાવ : પ્રૌઢ કોઇપણ સમયે ઘરેથી નિકળ્યા બાદ કુવામાંથી લાશ મળી : ઘટના અંગે સીસીટીવી કુટેજ તપાસવા તજવીજ હાથ ધરાઇ
રાજકોટ તા ૩ : શહેરના કણકોટ રોડ પર આવેલા ' ધ કોટ યાર્ડ' એપાર્ટમેન્ટમાં રહેતા વણીક પ્રૌઢ એપાર્ટમેન્ટની બાજુના કુવામાં ઝ્રપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ શહેરના કણકોટ રોડ પર ધ કોટયાર્ડ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ કુવામાં એક અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં મવડી ફાયરબ્રીગેડ સ્ટાફના ફાયરમેન વિનોદભાઇ મકવાણા, જયેશભાઇ ડાભી, અનીલભાઇ સોલંકી અને ડ્રાઇવર યોગેશભાઇ જાનીભાઇ સહિતે સ્થળ પર પહોંચી યુવાનની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી શતી, જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. જેન્તીભાઇ તથા રાઇટર મહેશભાઇ સેજલીયાએ સ્થળ પર પહોંચી તપાસ કરતા કુવા પાસે આવેલા એપાર્ટમેન્ટ 'ધ કોટયાર્ડ' બીલ્ડીંગ બી/૩૦૪ માં રહેતા કૃણાલભાઇ હરીશભાઇ મહેતા (ઉ.વ.૪૯) હોવાનું જાણવા મળ્યું હતું. બાદ પોલીસે જાણ કરતા તેના સગાસબંધી દોડી આવ્યા હતા, બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક કૃણાલભાઇ મહેતા બે ભાઇમાં નાના હતા, તે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેને સંતાનમાં બે પુત્ર છે તે મોડી રાત્રે ઘરેથી નીકળી ગયા હતા, તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગે પોલીસે સીસીટીવી કુટેજના આધારે તપાસ આદરી છે.