રાજકોટ
News of Monday, 3rd September 2018

મોરબીના ત્રાજપરમાં સાત દિવસ પહેલા ઝેર પી લેનારા કોળી યુવાન શામજીનું મોત

રાજકોટઃ મોરબીના ત્રાજપર ગામે રહેતો શામજી દેવજીભાઇ વરાણીયા (ઉ.૨૬) ૨૫મીએ સાંજે સાતેક વાગ્યે ઘરે ઝેર પી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે આઠમની સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર શામજી માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. તેના પિતા દેવજીભાઇના કહેવા મુજબ શામજી ૨૩મીએ એક છોકરીને લઇને નીકળી ગયો હતો. બાદમાં બંને ૨૫મીએ પાછા આવી ગયા હતાં. એ પછી તેને પોતાનાથી ખોટુ થઇ ગયાનો આઘાત લાગતાં આ પગલું ભરી લીધાની શકયતા છે.

 

(11:20 am IST)