News of Monday, 3rd August 2020
રાજકોટમાં કોરોનાના અધધધ ,, 94 કેસ પોઝીટીવ : નવ લોકોના મોત : સિટીમાં 70 કેસ,ગ્રામ્યમાં 15 કેસ અને અન્ય જિલ્લાના 9 કેસ મળીને કુલ 94 કેસ પોઝિટિવ નોંધાયા
સિટીના 18, ગ્રામ્યના 20 અને અન્ય જિલ્લાના 12 દર્દીઓ મળીને કુલ 50 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
રાજકોટમાં કોરોનાના અધધધ ,, 94 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં સિટીમાં 70 કેસ,ગ્રામ્યમાં 15 કેસ અને અન્ય જિલ્લાના 9 કેસ મળીને કુલ 94 કેસ પોઝિટિવ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં કુલ 468 સેમ્પલ લેવાયા હતા જેમાં 94 કેસ પોઝિટિવ જાહેર થયા છે
બીજીતરફ સિટીના 18, ગ્રામ્યના 20 અને અન્ય જિલ્લાના 12 દર્દીઓ મળીને કુલ 50 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મોત નિપજ્યા છે જેમાં રાજકોટ શહેરના 4, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 2 મળીને કુલ 9 દર્દીઓના મોત નિપજ્યા છે જોકે મૃત્યુનું આખરી કારણ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટને આધીન રહેશે
(8:23 pm IST)