રાજકોટ
News of Monday, 3rd August 2020

કાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજી પરીક્ષાનો પ્રારંભઃ ૧૧ હજાર પરીક્ષાર્થીઓ

૬૬ કેન્દ્રો ઉપર થર્મલ ગનથી પરીક્ષાર્થીઓનું ટેમ્પરેચર મપાશે, ખાસ નીરીક્ષકો નિમાયા

રાજકોટ, તા., ૩: કોરોનાના કહેર વચ્ચે પરીક્ષા લેવી મુશ્કેલ બનતા ૩ માસ બાદ આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજયુએશનની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થશે.  જાણવા મળતી વિગત મુજબ આવતીકાલથી એમએ એમકોમ એમએસસી સેમેસ્ટર-૪ ની પરીક્ષા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને અમરેલી જીલ્લાના ૬૬ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે.

કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું થર્મલ ગનથી ટ્રેમ્પરેચર મપાશે અને સેનીટાઇઝ પણ કરાશે. પરીક્ષામાં તમામ જીલ્લા ઉપર સીન્ડીકેટ સભ્યને ખાસ નોડલ ઓફીસર તરીકે નિમાવવામાં આવ્યા છે.

(3:53 pm IST)