News of Friday, 3rd July 2020
અનાથ-માનસિક વિકલાંગ દિકરીઓને ભોજન કરાવાયું
જીવદયા કાર્યકર સ્વ. મુકેશભાઇ સવજીભાઇ ખોયાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમીતે તેમના કુટુંબીજનો દ્વારા અમુલ સર્કલ પાસે એકરંગ ચિલ્ડ્રન સંસ્થાની અનાથ અને માનસિક વિકલાંગ એવી ૪૫ દિકરીઓને જમાડવામાં આવી હતી અને સ્વ. મુકેશભાઇના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પિતા સવજીભાઇ, માતા શારદાબેન, ભાઇ વિજયભાઇ, દિપાબેન વિજયભાઇ, અંશ, માન્યા સહિતના આ કાર્યમાં જોડાયા હતાં.
(12:53 pm IST)