રાજકોટ
News of Wednesday, 3rd June 2020

MSME સેગમેન્ટમાં ઉદ્યોગોની કાલ-આજ-આવતિકાલ

રાજકોટ : આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા શહેર રાજકોટનો વિકાસ આબાદીની દ્રષ્ટીએ તથા આર્થિક દ્રષ્ટીએ છેલ્લા ૫૦ વર્ષ દરમ્યાન થયેલ છે. જે પૈકી ૧૯૭૦ થી ૧૯૯૦ સુધી સ્થિરતાપૂર્વક વિકાસ થતો રહેલ. આપણા શહેરની આબાદી પણ ૧૯૭૦ થી ૧૯૯૦ ના દાયકા વચ્ચે સૌરાષ્ટ્રના મધ્યભાગ તરીકે ખુબ જ વિકાસ થયેલ છે. સાથે સાથે આ શહેરના આર્થિક વિકાસનો પણ મંજબુત પાયો આ સમયમાં દ્રઢ થયેલ છે.

આપણે સૌ જાણીએ છીએ કે, જેમ આપણા વેપાર ઉદ્યોગનો વિકાસ થાય અને તે દ્વારા આપણી વ્યકિતગત આવકમાં પણ વધારા સાથે વિકાસ થાય તેમ આપણા જીવન ધોરણમાં પણ ઉધર્વગામી પ્રગતિ થતી હોય છે. તે મુજબ આપણા જીવનમાં પણ વિકાસની ગતિ વધેલ છે. આપણી જરૂરીયાત પણ ઝડપથી વધતી રહેલ છે. આ સઘળી બાબતોને ધ્યાને લઇ આપણા શહેરના આર્થિક વિકાસમાં જોઇએ તો આ વિસ્તારમાં લઘુ અને મધ્યમ વર્ગના ઉદ્યોગોનો વિકાસ પાયામાં રહેલ છે. આવા નાના પાયાના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં સ્વરોજગારી તથા રોજગારીની વિપુલ તકો પુરી પાડવામાં આવી રહેલ છે. જેનાથી આ શહેરના અથતંત્રમાં પણ ખુબ જ વિકાસ સર્જાયેલ છે.

આર્થિક વિકાસમાં એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રમાં ઉદ્યોગનું મહત્વ : આપણે જાણીએ છીએ કે વિશ્વમાં જે દેશોમાં નાના ઉદ્યોગો આધારીત વિકાસ થયેલ છે તે દેશોનું અર્થતંત્ર મજબુત રીતે આગળ વધી રહેલ છે. જેના દાખલા સમાન ચાઇના, જાપાન, જર્મની વગેરે દેશો આપણી નજર સમક્ષ છે. ખાસ કરીને જાપાનનું અર્થતંત્ર ૧૯૪૨ ના બીજા વિશ્વયુધ્ધ દરમિયાન નષ્ટ થયેલ હતુ. પરંતુ ત્યાંની પ્રજામાં રહેલ રાષ્ટ્રપ્રેમ  અને ટેકનોલોજી તથા સાયન્સ પ્રત્યેનો અભિગમ અને સુજાવના કારણે અનેક નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થયો.

આપણા અર્થતંત્રની ગાડીના બે પૈડા કૃષી અને ઉદ્યોગ :

આપણા દેશમાં પણ આપણા અર્થતંત્રના એન્જીનને ચલાવવામાં મુખ્યત્વે બે પૈયા પર આધારીત છીએ. ૧. ખેતી વિષયક ર. ઔદ્યોગીક વિષયક આમ આ બંને ક્ષેત્રે આપણા દેશમાં રહેલ માનવશકિતને કામે લગાડી વધુમાં વધુ રોજગારી આપી શકાય તેમ છે. આ બાબત આપણા જે તે સમયના સતાધીશો તથા આર્થિક બાબતોના નિષ્ણાંતોએ ધ્યાનમાં લઇ બન્ને પૈયાને સમાન કક્ષા પ્રદાન કરી આપણી આર્થિક ગાડીને પાટા પર વહેતી મુકેલ છે . તેથી જ ટુંકા સમયમાં આપણે વિશ્વમાં આર્થિક ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યુ છે.

કોરોના એક વૈશ્વિક મહામારી અને તેની સામેની માનવીય લડાઇ :

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ દ્વારા પ્રભાવીત થયેલ છે અને આ મહામારીમાં વિશ્વના અગ્રણી દેશો પ્રભાવિત થયા છે. આ મહામારીથી બચવા દવાઓની શોધ ચાલી રહી છે. પરંતુ સફળતા હજુ જોજનો દુર છે.  જે પગલા વિશ્વના આરોગ્ય નિષ્ણાંત લોકો દ્વારા સુચવવામાં આવે તે પગલા લેવા જરૂરી છે. તેથી આપણા દેશમાં ગત તા.૨૩/૦૩/૨૦૨૦ થી સર્વે પ્રકારની પ્રવૃતિઓ એટલે કે વેપાર - ધંધા, વ્યવસાય, ઉદ્યોગો, શૈક્ષણીક સંસ્થાઓ, તેમજ રસ્તાઓ ઉપર કે રેલ્વે દ્વારા તેમજ હવાઇ સેવા દ્વારા પણ આવન જાવન બંધ કરવામાં આવેલ છે. ટુંકમાં અર્થઉપાર્જનની સર્વે પ્રકારની પ્રવૃતિઓને લોકડાઉન સમયમાં બંધ રાખવા જાહેર કરેલ છે. આપણા રાજકીય આગેવાનોને આશા હતી કે આ પ્રકારના કોરોના વાઇરસની એક ખાસ સાઇકલ હોય છે. તે સાઇકલ દરમ્યાન જ તેનો ફેલાવો થતો હોય છે. આ સાઇકલનો પીરીયડ સામાન્ય રીતે ૨૧ દિવસ ગણવામાં આવતો હતો. તેથી જ આપણા દેશમાં જયારે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારે જણાવેલ કે, આપણા ભુતકાળના યુગમા મહાભારતનું યુધ્ધ થયેલ. જે લડત ૧૮ દિવસ ચાલેલ અને અંતે નીતિનો વિજય થયેલ. બસ તેવી જ રીતે આપણે કોરોના સામે ૨૧ દિવસની લડાઇ સાથે મળીને કરવાની છે.

કોરોના લડાઇની ભારતની અર્થતંત્ર પર અસર :

આપણે સૌ જાણીએ છીએ તેમ કોઇપણ યુધ્ધમાં થતી લડાઇ દરમ્યાન મનુષ્યવધ તેમજ વપરાતા શસ્ત્રોને કારણે આર્થિક રીતે પણ ઘણુ નુકશાન સહન કરવાનું આવતુ હોય છે. તે પ્રમાણે આ કોરોના સામેના યુધ્ધમાં પણ આપણે અનેક મનુષ્યોના જાન પર જોખમ લીધેલ છે. અને આપણા અર્થતંત્ર પર તેની ગંભીર અસર થઇ રહેલ છે. ત્યારે સ્વાભાવિકપણે સમગ્ર દેશમાં આવેલ વેપાર ઉદ્યોગો જયારે બંધ છે ત્યારે તેના દ્વારા થતુ આર્થિક ઉપાર્જન પણ અટકી ગયેલ છે. તેથી આપણા અર્થતંત્રને ગંભીર અસર થઇ રહેલ

ભારતીય અર્થતંત્રમાં એમ.એસ.એમ.ઇ. નું મહત્વ :

આપણા રાષ્ટ્રમાં ઉદ્યોગો આધારીત અર્થતંત્રનો વિકાસ રહેલ છે. તેમાં પણ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો દેશના આર્થિક વિકાસના માપદંડ સમાન જીડીપી (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોફીટ) માં એટલે કે આવક જાવકનાો રહેશીયો રહેલ છે તેમાં આ ઉદ્યોગોનો ૨૮% જેટલો મહત્વનો ફાળો રહેલ છે. આપણા નિકાસમાં પણ ૪૨% જેવો મહત્વનો ફાળો પ્રદાન કરે છે. તેમજ આપણા જેવા વધુ વસ્તીવાળા રાષ્ટ્રમાં માનવ શકિતનો સારી રીતે ઉપયોગ કરી રોજગારી પુરી પાડી રહેલ છે. તેથી પણ આવા ઉદ્યોગો ખુબ જ મહત્વના બની રહે છે. આવા ઉદ્યોગો આ લોકડાઉન સમયમાં બંધ રહેતા બેરોજગારી સર્જાય છે. તેમજ આર્થિક રીતે પણ આપણી ગતિવિધિ રૂધાઇ ગયેલ છે. જેની અસર અપણા જીવનધોરણમાં પણ આવી રહેલ છે.

લોકડાઉન મુકિત બાદ એમએસએમઇ ઉદ્યોગો ફરી શરૂ કરવાના પ્રશ્નો અને ઉકેલ અંગેના સુંચનો :

હવે જયારે દેશ ક્રમશઃ લોકડાઉન સમયમાંથી મુકિત તરફ આગળ વધી રહેલ છે ત્યારે ધીમે ધીમે આપણા ઉદ્યોગોને છુટછાટ આપી ફરી ચાલુ કરવા પ્રયત્ન કરી રહેલ છીએ. જેથી આપણા રોજગારીના પ્રશ્નો તથા આર્થિક પ્રશ્નોમાં રાહત મળવી શરૂ થાય તે પગલુ ખુબ જ માનવીય હીતનું લાભદાયક રહેલ છે. પરંતુ આવા ઉદ્યોગોને ફરી શરૂ કરવા માટે આપણે અનેક પ્રકારના પ્રશ્નો સામે ઝઝુમવાનુ રહે છે. આ માટે ઉદ્યોગકાર તથા સરકારશ્રીએ સાથે મળી ઉદ્યોગોને ફરી ધમધમતા કરી આપણા અર્થતંત્રને ફરી ગતિમાન કરવા તરફ આગળ વધવાનું રહેશે. ઉદ્યોગોને ફરી કાર્યાન્વીત કરવા હાલમાં નીચે જણાવ્યા મુજબના અગત્યના પ્રશ્નોનો ઉકેલ કરવો જરૂરીબની રહે છે.

૧. ઉદ્યોગો ફરી શરૂ કરવા નાણાંકીય ફંડની જરૂરીયા : 

ઉદ્યોગ ચલાવવા ઉદ્યોગકારને જોઇતા પુરતા પ્રમાણમાં ફંડની પ્રવાહીતા જરૂરી  છે. આ ફંડ સામાન્ય સંજોગોમાં સમયસર નાણાકીય સર્કયુલેશન થતુ રહેતુ હોય ફંડ પ્રવાહીતામાં ઘટાડો અનુભવી શકાતો નથી.  સકર્યુલેશન થતુ રહેતુ હોય ફંડ પ્રવાહીતામાં ઘટાડો અનુભવી શકાતો નથી. આ આર્થિક સર્કલ અટકી ગયેલ હોવાથી ઉદ્યોગકારોનું ફંડ જુદી જુદી જગ્યાઅ ફસાઇ અને રોકાઇ ગયેલ હોય છે. તે ફંડ ફરીથી સર્કયુલેશનમાં આવે ત્યાં સુધી વધારાના નાણાની પ્રાવહીતા પુરી પાડવી જરૂરી બની રહે છે. તેથી સરકારે ઓછામાં ઓછા વ્યાજના ભારણથી નાણાકીય સંસ્થાઓ દ્વારા આવા એમ.એસ.એમ.ઇ. સેગ્મેન્ટના વેપારી અને ઉદ્યોગકારોને નાણાકીય સંસ્થાઓ દ્વારા સરળ શરતોથી ધિરાણરૂપે પુરા પાડવા જોઇએ. આ ધીરાણનું ભારણ ઓછામાં ઓછું રહેવુ જોઇએ.

અંગે એવું સુચન છે કે રાષ્ટ્રની રીર્ઝવ બેન્ક દ્વારા રીવર્સ રેપો રેટ એટલે કે બેન્કોને મળતા નાણા પરનું વ્યાજ જે ચાર્જ થાય તે પર વધુમાં વધુ ૧.૫% રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોના ચાર્જરૂપે કે ખર્ચરૂપે ગણી ઉદ્યોગકારોને ૪.૫ % કે ૫% ના દરે નાણા પુરા પાડવા જોઇએ.

ર. માનવ શકિતની જરૂરત અને કુશળ માનવશકિતની ફરી ભરતી :

હાલના સંજોગોમાં કોરોના વાઇરસના કારણે સર્જાયેલ સ્થિતિને કારણે સમગ્ર દેશમાં માનવજાત માટે ભયનું તાવરણ સર્જાયેલ હોય ને ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતના વતની ઔદ્યોગીક કામદારોમાં પણ ભયનું લખલખુ પ્રવર્તતા તેઓ પણ માનવ સહજ વૃતિથી ભયભીત બનીપોતાના વતનમાં રહેલ કુટુંબ પાસે - કુટુંબ સાથે ઘર જવા નીકળી ગયેલ છે. ત્યારે ઉદ્યોગોમાં કામ કરતા ઔદ્યોગીક કામદારોની પણ અછત સર્જાયેલ છે. આવા સંજોગોમાં ઉદ્યોગોને સ્થાનીક કામદારો મારફત કામ ચલાવવાનું રહે છે. તેથી કદાચ થોડા સમય માટે ઔદ્યોગીક ઉત્પાદન પર પણ અસર થઇ શકે. આ અંગે એવુ સુચન રહે છે કે, ઓછા કામદારોમાં વધુ પ્રોડકશન મેળવવા કામના કલાકો વધારી કામદારોને વધુ વેતન આપી ઉદ્યોગો કાર્યરત કરી શકાય. તેમજ પરપ્રાંતીય કામદારોની જગ્યાએ સ્થાનીક કામદારોની ભરતી વધારીને કામચલાઉ કાર્ય મેળવી શકાય તેવા પ્રયત્ન કરવા જોઇએ અને આવા ઉદ્યોગોમાં વધુ સમય કાર્ય કરવા કામદારોને પ્રોત્સાહીત કરવા સરકાર તરફથી નાણાકીય પ્રોત્સાહક પગલા જાહેર કરવા જોઇએ. જેથી ઉદ્યોગોને કામદારોના પ્રશ્નમાં સરળતા રહે.

૩. કાચા માલના પુરતા જથ્થાની જરૂરીયાત માટે પરિવહનની વ્યવસ્થાઃ લોકડાઉન સમય દરમિયાન માલની આવનજાવન બંધ રહેવાને કારણે કેટલાક ઉદ્યોગોમાં કાચા માલર્ન ચડત ઉભી થયેલ હોય, અને કાચા માલનો પુરતો સ્ટોક રહેલ ન હોય, ઉદ્યોગના ઉત્પાદનમા પર તેની તેની અસર પડતી હોય છે. આવા સંજોગોમાં ઉદ્યોગકારોએ કાચો માલ તાત્કાલીક મેળવવા વધુ નાણાકીય સગવડ ઉભી કરવી પડે તેવા સંજોગોમાં નાણાકીય સંસ્થાઓએ આગળ આવી કમચલાઉ રીતે આવા માલન્ય ઓર્ડર સામે સરળતાથી નાણા મળી રહે તેવી યોજનાઓ કરવી જોઇએ. જેથી કાચા માલની તંગી સર્જાય નહી અને ઉદ્યોગ વ્યવસ્થિત રીતે ઉત્પાદન કરી શકે.

૪. ઔદ્યોગીક ઉત્પાદનનો ઉત્પાદન ખર્ચ નિયંત્રણમાં રાખવા અંગે સુચનો : 

ઔદ્યોગીક ઉત્પાદન ખર્ચ નિયંત્રણમાં રહી શકે તે માટે કેટલાક મહત્વના મુદ્દે ધ્યાન આપવુ જરૂર છે.

એ. નાણાકીય સહાયના વ્યાજના દર વ્યાજબીપણે હોવા જોઇએ તેમજ નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા ધિરાણો અંગેના વ્યાજ સીવાયના સેવાકીય ચાર્જ કે અન્ય બેન્કીંગ સેવાકીય ચાર્જ ખુબ જ વ્યાજબી દરે હોવા જોઇએ અને જરૂર જણાયે આ ખર્ચમાં સરકાર તરફથી સહભાગી થવુ જોઇએ. જેથી ઉત્પાદન ખર્ચમાં ઓવરલોડીંગ ન થાય અને ઉત્પાદન વ્યાજબી કિંમતે મેળવી શકાય.

બી : વિજય વપરાશ તથા ફયુલ વ્યરાશ પરર લાગતા અન્ય ખર્ચં કે સરકારી વેરા અંગે સરકાર દ્વારા કે ખાનગી સંસ્થાઓ દ્વારા ઉદ્યોગોને પુરી પાડવામાં આવતી વિજળીના દરમાં રાહત આપી તેમજ વીજબીલમાં જુદા જુદા અનેક પ્રકારના ચાર્જ અલગથી લેવામાં આવે છે. તેવા ચાર્જ હાલના છ કે આઠ માસ સમય દરમ્યાન ન લગાડોને ઉદ્યોગોને રાહત આપવી જોઇએ. તેમજ વિદ્યુત વપરાશ ખર્ચ કે ચાર્જ પર લગાડવામાં આવે તો વિદ્યુત કરની રકમ સંપૂર્ણપણે માફ કરવી જોઇએ. જેથી ઉત્પાદન ખર્ચમાં ખાસ્સો ફાયદો થઇ શકે. અને ઉત્પાદક પોતાના ઉત્પાદનને રાષ્ટ્રીય કે વૈશ્વીક બજારમાં રહેલ હરીફાઇમાં વહેચી શકે.

સી : માલ પરીવહન ખર્ચમાં સરકારશ્રી સહભાગી બની સહાય આપવા અંગે ૅં- આપણું રાષ્ટ્ર ખુબ જ વિશાળ રાષ્ટ્ર હોય, રાષ્ટ્રના એક છેડે આવેલ ઔદ્યોગીક એકમને કાચો માલ બીજા છેડા પરથી હજારો માઇલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ભોગવી લાવવો પડતો હોય છે. તેમજ ઔદ્યોગીક ઉત્પાદન થયેલ. માલની બજાર પણ સમગ્ર રાષ્ટ્ર સ્તરે હોય લાંબા અંતર સુધી માલ મોલવાનો રહેતો હોય છે. જેથીટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘણુ ઉંચુ લાગતુ હોય છે. આ ખર્ચમાં પણ સરકાર સહયોગ  આપી સહાય કરવી જોઇએ.

પ. ઉત્પાદીત માલની બજાર તથા ઉંચી પડતર કિંમત અંગે સુચનો :

આપણા રાષ્ટ્રીય બજારમાં એટલે કે ડોમેસ્ટીક માર્કેટમાં ઉત્પાદીત માલનું વેચાણ થતુ હોય છે. આપણા રાષ્ટ્રીય કક્ષાના ગ્રાહકો આ માલનો વપરાશ મોટા પ્રમાણમાં કરતા હોય મોટી બજાર મળી રહે છે. પરંતુ હાલ આપણું અર્થતંત્ર લોકડાઉનમાની સ્થિતિમાં હોય ગ્રાહકની ખરીદ શકિત પર ગંભીર અસર થયેલ છે. વપરાશકાર ખરીદી કરતા ન હોય, ઔદ્યોગીક ઉત્પાદનને બજાર મળવી મુશ્કેલ બને છે. વપરાશકારના માનસ પર આ લોકડાઉન સ્થિતિની ગંભીર અસર પડતા વપરાશકારની માનસીકતા પોતાની આવક પૈકી જીવન જરૂરી ખર્ચ સીવાયનો ખર્ચ નહી કરવાનું તથા વધુમાં વધુ બચત કરી આવતા ભવિષ્ય ખ્વ્ માનસીક ભય હોય, તેવી સ્થિતિ સર્જાયેલ છે. જેથી ઉત્પાદીત ચીજવસ્તુઓની માર્કેટ પર ગંભીર અસર થયેલ છે.

ત્યારે આ તબક્કે વપરાશકારની ખરીદ શકિત વધારવા અને ઉત્પાદીત માલ વધારવા  કન્ઝયુમર્સ ડયુરેબલ જેવી કે રેફીજરેટર, એરકંડીશનર, સ્કુટર, ઘરઘંટી, વોશીંગ મશીન, ગ્રાઇન્ડર વગેરે જેવી વસ્તુઓ બાય બેકમાં ખરીદ કરી જે-તે કંપનીઓએ તેને સ્ક્રેપ કરી લોકોને નવી વસ્તુઓ આપવાની યોજના કરવી જોઇએ.

આ યોજનામાં નવી વસ્તુની કિમતમાંથી સ્ક્રેપ કરવામાં આવતી વસ્તુની કિંમત બાદ કરી બાકી રહેતો તફાવત પૈકી ૯૦% રકમ બેન્કો દ્વારા કે નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓછા વ્યાજના દરે ધીરાણ કરી લોકોને નવી વસ્તુ લેવા પ્રોત્સાહીત કરવા જોઇએ.

આમ ઉપરોકત જણાવેલ મુદ્દા જોઇએ તો રીહેબીલેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ફાઇવ એટલે કે મુડી પ્રવાહીતા, રો મટીરીયલ્સ અવેલીબીલીટી તથા કન્ટીન્યુટી, મેનપાવર કુશળ કારીગરો, અર્ધકુશળ કારીગરો અને બીનકુશળ કારીગરોની અવેલીબીલીટી, મેનેજમેન્ટ - ઉત્પાદન ખર્ચ નિયંત્રણના આધારે માર્કેટમાં વેચાણ કિંમત નીચે લાવવાના પ્રયત્નો, ઓછા વ્યાજના દરે કે ઓછા ખર્ચે ચાલુ મુડીની વ્યવ્સ્યા, વીજ વપરાશ કે ફ્યુઅલ વપરાશ પર નિયંત્રણ તથા લાગતા વેરા અંગે સહાય મેળવવી વગેરે વ્યવસ્થા કરવી તે અંગેનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે.

MSME વિભાગના પ્રશ્નો અંગે ગ્રેટર ચેમ્બરનો શુક્રવારે વેબ સેમીનાર

રાજકોટ તા. ૩ : વર્તમાન પરિસ્થિતી પર ગહન ચર્ચા કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એમ.એસ.એમ.ઇ. વિભાગના કેન્દ્રના કેબીનેટ મંત્રી નીતિન ગડકરી સાથે એક વાર્તાલાપ વેબ સેમીના સ્વરૂપે ગોઠવવામાં આવેલ છે. તા. ૫ ના શુક્રવારે બપોરે ૧૨.૩૦ થી ૧ સુધી ચાલનાર આ વેબીનારના મુખ્ય પેનેલીસ્ટ તરીકે શ્રી નિતિન ગડકરી ઉપસ્થિત રહેશે. સેમીનારમાં ભાગ લેવા કોઇપણ ચાર્જ નથી. વોટસએપ દ્વારા મો.૯૮૨૫૧ ૪૮૯૫૯ ઉપર અથવા ઉપપ્રમુખ કાંતિભાઇ જાવીયા (મો.૯૪૨૬૨ ૦૧૬૩૩), ડાયરેકટર મયુરભાઇ શાહ (મો.૯૪૨૬૭ ૩૨૩૯૬) પાસે નામ નોંધાવી શકાશે.

-: સંકલન : -

ધનસુખભાઇ વોરા

પ્રમુખ : ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

(3:55 pm IST)