રાજકોટ
News of Wednesday, 3rd June 2020

રાજ્યના ચાર આઇપીએસ અધિકારીની બદલી થઇઃ રાજકોટમાં ઝોન-૧ ડીસીપી તરીકે પ્રવિણકુમાર મુકાયા

રાજકોટ તા. ૩: ગુજરાત રાજ્યના ચાર આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમો થયા છે. જેમાં રાજકોટમાં ઝોન-૧ના ડીસીપીની ખાલી પડેલી જગ્યા પર આઇપીએસ પ્રવિણકુમારની નિમણુંક કરવામાં આવી છે.

ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈનીને પોરબંદરના એસપી તરીકે બઢતી સાથે બદલી કરી ત્યાં મુકવામાં આવતાં તેમની જગ્યા ખાલી પડી હતી. આ જગ્યા પર વિરમગામમાં એએસપી તરીકે ફરજ બજાવતાં પ્રવિણકુમારને ડીસીપીનું પ્રમોશન આપી રાજકોટમાં નિમણુંક આપવામાં આવી છે.

જ્યારે અન્ય આઇપીએસની બદલીઓમાં એએસપી અમરેલી પ્રેમસુખ દેલુને બઢતી સાથે એસઆરપી ગ્રુપ-૨૧ના કમાન્ડન્ટ (રાજુલા-અમરેલી) ખાતે નિયુકતી અપાઇ છે. આ ઉપરાંત વડોદરા ગ્રામ્યના એએસપી શ્રી રવિન્દ્ર પટેલને એસઆરપી ગ્રુપ-૯ (વડોદરા)ના કમાન્ડન્ટ તરીકે મુકાયા છે. જ્યારે વેરાવળ સોમનાથના એએસપી શ્રી અમિત વસાવાને એસઆરપી ગ્રુપ-૩માં કમાન્ડન્ટ તરીકે મદાના (બનાસકાંઠા) સાથે નિમણુંક આપવામાં આવી છે.

રાજકોટ મુકાયેલા પ્રવિણકુમાર ૨૦૧૬ની બેચના આઇપીએસ છે.

(3:54 pm IST)