રાજકોટ
News of Monday, 3rd May 2021

દાઉદી વ્હોરા સમાજ આજે રમઝાનની લયલતુલ કદરની રાત મનાવશે : ઘરે ઘરે દુઆ : રાત્રે વસીલાઓનું ઓનલાઇન પ્રસારણ

રાજકોટ તા. ૩ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજની મીસરી રમજાન ૨૩ મી રાત લયલતુલ કદર (જાગરણ) ની રાત છે. આજે તા. ૩ ના સોમવારે દાઉદી વ્હોરા સમાજ આખી રાત નમાજ પઢીને ઇબાદત કરશે.

કોરોના મહામારીને ધ્યાને લઇ ઘરે ઘરે જ દુઆ થશે. કોરોના બીમારીની જલ્દીથી દેશવાસીઓને શીફા થઇ જાય તે માટે દુઆઓ થશે.

આજે રાત્રે વસીલાઓનું ઓનલાઇન ઘરે ઘરે પ્રસારણ કરવામાં આવશે. દાઉદી વ્હોરા સમાજના ભાઇ બહેનો અને નાના બાળકો પણ આજે રાત્રીનું જાગરણ કરી નબાજ બદંગી કરશે.

 સાથો સાથ આજે ધર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ની ૭૮ મી મિલાદ મુબારક થશે. તેમની ઉમર શરફી દીર્ઘ આયુષ્ય માટે વ્હોરા સમાજના લોકો દુઆ કરશે. તેમ જોહર કાર્ડસવાળા શેખ યુસુફભાઇની યાદીમાં જણાવ્યુ છે.

(12:59 pm IST)